History of Lohana

મિત્રો લોહાણા સમાજના ઈતિહાસ ની વાત આવે ત્યારે આપડે ભગવાન શ્રી રામ, મહારાજા લવ,  વિરદાદા જસરાજ કે જલારામ બાપા થી વધારે જાણતા નથી પણ આજે ઈતિહાસનુ એક એવું પ્રકરણ તમને દેખાડવું છે જે આખી દુનિયાને ખબર છે, પાકિસ્તાનને ખબર છે પણ ગુજરાતના લોહાણાઓને ખબર નથી. મેં ઘણા વર્ષો પહેલાં Wikipedia માં Agham Lohana પર એક article લખેલો આમ તો ઘણા articles લખ્યા પણ આ article સમાજ માટે મહત્વનો છે.

7મી સદી અરબી મુસ્લિમ જેહાદીઓએ તલવાર ના જોરે ઇસ્લામનો ફેલાવો શરૂ કર્યો. સિંધ પર મીરકાસીમ ચડી આવ્યો. સિંધના બ્રાહ્મણ રાજા દહીરને મારી સિંધ કબજે કર્યું તેતો ઘણા જાણે છે. પણ પછી મુસ્લિમોએ એક ઐતિહાસિક વિજય મેળવ્યો તે ભવ્ય વિજય કેવા મહાન રાજા પર મેળવ્યો અને તેનો ઈતિહાસ લખ્યો. વિરોધી મહાન હોય તો જ વિજય મહાન કહેવાય. દહિર કે દાહિરના પિતા રાજા કાક હતા. આરબો એ તવારીખ એ હિંદવા સિંધ નામનો ઐતિહાસિક ગ્રંથ તૈયાર કરાવો જેનું ઉર્દૂ ભાષામાં અનુવાદ થયો કાકનામા પણ ઈંગ્લીશ માં chachnama લખાતું હોઈ લોકો ચચનામા પણ બોલે છે.

હવે મુળ વાત પર આવું. સિંધના અલોર ના રાજા રાય સહાસી એ એક બ્રાહ્મણ યુવાન કાંક ને પોતાનો મંત્રી બનાવ્યો. રાય સહાસીની રાણી સુહાનંદી ખુબ સ્વરૂપવાન હતી તેની ખ્યાતિ આરબ દેશો સુધી હતી. કાકાને રાણી સુહાનંદી સાથે પ્રેમ થઈ ગયો. હવે રાણીના ઈશારે મંત્રી કાકે રાજા રાય સહાસીને એવુ ખાવાનું આપતો જેથી રાજા બિમાર પડીને મૃત્યુ પામ્યો. પછી મંત્રી કાકે રાણી સુહાનંદી સાથે લગ્ન કરી લીધા અને રાજા બની ગયો.

હવે રાજા કાકની સતાની લાલસા જાગી ઉઠી તેણે આજુબાજુના નાના રાજ્યો પર આક્રમણ કરી પોતાના રાજ્યમાં ભેળવવા માંડ્યા. આવું જ એક સીવીસ્તાન નામનું રાજ્ય હતું જેનો ચંદ્રવંશી રાજપૂત રાજા માતાહ હતો. માતાહ ને પોતાનું આધિપત્ય સ્વિકારવા કાકે પત્ર લખ્યો અને જો આધિપત્ય કબૂલ નો હોય તો યુધ્ધ માટે તૈયાર રહેવા કહ્યું. હવે અહીંથી જ લોહાણા રાજા આગમ ચિત્રમાં આવે છે. (વધારે માહિતી માટે મેં Wikipedia માં article લખ્યો છે Matta(chief) વાંચી જુઓ)

બ્રાહ્મણાબાદ ના મહારાજા આગમ હતા. બ્રાહ્મણાબાદ એટલે આજના પાકીસ્તાનનુ મંસુરા શહેર અને નારાયણ કોટ એટલે પાકિસ્તાનના સિધ્ધુ હૈદરાબાદ. મહારાજા આગમ ભગવાન બુદ્ધ ને બહુ માનતા. ત્યારે બુદ્ધ અલગ ધર્મ નહી પણ એક સંપ્રદાય જેવો હતો.

બ્રાહ્મણબાદ એક તરફ લાખા લોહાણા અને બીજી તરફ સામા લોહાણા ના રાજ. બંને મહારાજ આગમ ની નીચે આવે. આ લાખા પરથી લાખાણી અને સામા પરથી સામાણી થયા.

રાજા માતાહ એ લખેલો પત્ર મળવામાં મોડું થાય છે અને કાક સિવિસ્તાનને જીતી લે છે પણ રાજા ભાગીને મહારાજા આગમની શરણમાં આવે છે. અને શરણે આવેલા નું રક્ષણ કરવું એ રઘુકુળ પરંપરા છે.

ગુસ્સે થયેલા કાકે આગમને પત્ર લખ્યો "તમને તમારા ઉંચા કુળનું બહુ અભિમાન છે" વગેરે વગેરે આ પત્રનો ઉલ્લેખ તવારીખ એ હિંદવા સિંધ માં છે. તે મુજબ લોહાણા બ્રાહ્મણ થી પણ ઉચો દરજ્જો ભોગવતા તેવું ઈતિહાસકારો માને છે.

રાજા કાકે આગમકોટ પર આક્રમણ કર્યું, આગમકોટ નો કિલ્લો આજે જર્જરિત અવસ્થામાં છે અને Archeological Department of Sindh Pakistan ના નીચે આવે છે. આગમકોટ રાજા આંગણે બાંધ્યો હતો.

રાજા કાક ઘણી મહેનત કરે છે પણ લોહાણાઓને હરાવી શકતો નથી. એકવાર અચાનક રાત્રે હૂમલો કરે છે જેમાં આગમ શહિદ થાય છે પણ કિલ્લો જીતી શકાતો નથી. છેવટે રાજા કાક ને લોહાણા સાથે સંધી કરવી પડે છે. જેમાં કાક પોતાની દિકરી (ભાઈની દિકરી કાકે દતક લીધી હતી) ના લગ્ન મહારાજા આગમના પુત્ર રાજકુમાર સરહંદ સાથે કરાવે છે.  અને મહારાજા આગમની વિધવા સાથે કાક લગ્ન કરે છે.

આ સમયે રાજા આગમની સેનામાં રહેલા ઘણા લોહાણા તથા જાટ આનો વિરોધ કરે છે. તે સમયે લોહાણાઓની સેનામાં ઘણા જાટ સૈનિકો અને સેનાપતિ હતા. જાટ પ્રજાએ હંમેશા લોહાણાઓ સાથે વફાદારી કરી ઘણા યુધ્ધો ખભેખભા મિલાવી લડ્યા અને ઘણા યુધ્ધો જીતવામાં મદદ કરી.

રાજા કાકે લોહાણા અને જાટો પર શસ્ત્ર રાખવા, લાલ વસ્ત્ર પહેરવા અને ઘોડે સવારી કરવા પર પ્રતિબંધ મુકયો હતો જો કે પાછળથી હટાવી લીધો હતો.

હવે રાજા કાકને સુહાનંદી સાથે ના લગ્નથી દિકરો થયો તેનુ નામ દહીર અને આગમની વિધવા સાથેના લગ્નથી એક દિકરી થઈ હતી જેને બાઈ નામથી બોલાવતા. દહિરે બાઈ સાથે લગ્ન કરી લીધા આથી લોહાણા અને જાટ પ્રજામાં જબરજસ્ત આક્રોશ ફેલાયો. જો કે ધીરે ધીરે વાત ભુલાઈ ગઈ.

આ બાજુ આરબો તેમની વસતી વધારવા માટે ભારતથી સ્ત્રીઓ ને ગુલામ બનાવી લઈ જતા. તે લોકો માત્ર બાળકો પેદા કરવા આ સ્ત્રીઓ નો ઉપયોગ કરતા. આ વાતની જાણ થતાં. હિંદુઓએ (કહેવાય છે કે લોહાણા અને જાટ લોકો એ) જહાજ લૂંટ્યું અને મહિલાઓ ને મુક્ત કરાવી.

આથી આરબ સેનાપતિ મિર કાસીમે ભારત પર આક્રમણ કર્યું પણ દહીરને લોહાણા અને જાટ પર અવિશ્વાસ હતો એટલે સેનામાં એમને દૂર રાખતો કદાચ આજ કારણ કે દહિર શક્તિશાળી હોવા છતાં હાર્યો. આરબો એ દહિરના મહેલ તરફ રૂખ કર્યો. ખબર છે કે આરબ લોકો તેનો શું ઉપયોગ કરશે એટલે રાજા દહિરની વિધવા (બાઇ) એ હજારો બ્રાહ્મણો, લોહાણા, રાજપૂત અને જાટ સ્ત્રીઓ સાથે અગ્નિમા ઝંપલાવી દીધું. આ ઈતિહાસ નું પહેલું જૌહર છે.

આ પછી લોહાણા મેવાડના રાણા બાપ્પા રાવલ પાસે ગયા. જોકે બાપા રાવલ ના પૂર્વજ પણ લોહરરાણા રઘુવંશી જ હતા એટલે રાજપૂત લોહાણા ભીલ જાટ બધા લોકોએ ભેગા મળી મિરકાસીમ ને ભગાડયો. આરબો એ તેની રાજકુમારી ના લગ્ન બાપા રાવલ સાથે કરવા પડ્યા.

બસ પછી સિંધમાંથી ધીરે ધીરે લોહાણા રાજા ખત્મ થવા માંડ્યા, અને લોહાણા ઓ કચ્છમાં ઉતરી આવ્યા અને કચ્છમાં સિંધના સુમરાઓએ 18 મી સદીમાં આક્રમણ કર્યું, જારાની લડાઈ તરીકે ઓળખાય છે. સેનાપતિ અને દિવાન તરીકે કચ્છમાં લોહાણા ઓ હતા પણ જારાની 3 જી લડાઈ પછી લોહાણા કચ્છમાંથી ગુજરાતમાં ફેલાવા મંડ્યા.

પૃથ્વીરાજ ચૌહાણ ના સેનાપતિ અજાનબાહુ લોહાણા ને પણ આપડે ભૂલી ગયા. ચંદ બારોટનું પૃથ્વીરાજ રાસો વાંચી જુઓ.

Bhavin Kundaliya, Surat
9427265864


Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, ભગવાન વિષ્ણુ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, ભગવાન વિષ્ણુ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, ભગવાન સૂર્ય નારાયણ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, ભગવાન સૂર્ય નારાયણ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, ભગવાન શ્રી રામ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, ભગવાન શ્રી રામ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, લવ કુશ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, લવ કુશ

આગમકોટ પાકિસ્તાન, રાજા આગમ લોહાણા નો કિલ્લો, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

આગમકોટ પાકિસ્તાન, રાજા આગમ લોહાણા નો કિલ્લો, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, રાજા આગમ લોહાણા

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, રાજા આગમ લોહાણા

અજાનબાહુ લોહાણા, પૃથ્વીરાજ ચૌહાણ ના સેનાપતિ, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

અજાનબાહુ લોહાણા, પૃથ્વીરાજ ચૌહાણ ના સેનાપતિ, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, દરિયાલાલ દાદા, ઝુલેલાલ, વરૂણદેવ

Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર, દરિયાલાલ દાદા, ઝુલેલાલ, વરૂણદેવ

વિર દાદા જસરાજ, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

વિર દાદા જસરાજ, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

જલારામ બાપા, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

જલારામ બાપા, Social News, Lohana History, ગુજરાતી બ્લોગ, લોહાણા ઈતિહાસ, લોહાણા સમાજ, ગુજરાતી સમાચાર

Comments

  1. buK banabo itihas ni

    ReplyDelete
    Replies
    1. @achilles pan tema hu je itihas apu chhu te nathi.

      Delete
    2. Ha akhi book release thashe, with official historians'references sathe.

      Delete
  2. Gr8 knowledge sharing ���� keep it up

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

Vote Bank Politics